“કરતા જવું”

“કરતા જવું”ચાલ મનડા આજ ત એવું કશું કરતા જવું;

બે ઘડી પણ મોજ ખાતર તો કશું કરતા જવું.

ઘાંચમાં આવી ફસેલા ચાક કોઇ કાઢવાને;

સાથ આપી હાથ ઝાલીને મદદ કરતા જવું.

લાકડીના આશરાથી ચાલતા કો’જીવને;

હાથ ઝાલી માર્ગદર્શન એમનું કરતા જવું.

દીવડો નાનો કરી કો’ઝુંપડી અજવાળીયે;

ને તમસને ભેદવા યા દૂર પણ કરતા જવું.

કો અટુલો એકલો કો’બાળ રડતો જોઇને;

આ “ધુફારી”સંગમાં હસતો ફરી કરતા જવું.

૨૩-૦૮-૨૦૦૮

“પીછામાંથી કાગડો”#

“પીછામાંથી કાગડો”#
     વાત ઘણી જુની છે.ત્યારે હું ગલ્ફમાં હતો.ત્યારે ત્યાંથી મોકલાવેલી પોસ્ટ એક અઠવાડિયા પછી મળે તો સમજવું સમયસર મળી.ત્યારે ફોનની લાઇન વાયા વાયા જતી અને ત્રણ મિનિટનો સમય બાંધેલો હતો અને ચાર્જ પણ વધારે હતાં.
          અમુક ખટસવાદિયાઓ એ જ તાકમાં હોય કે,કોણ ઇન્ડિયા જાય છે.એમનું નેટવર્ક એવું હતું કે,જનારના હાથમાં પોસ્ટનો થોકડો પકડાવી દે.ગામના પહોંચાડવાના અને બાકીના પોસ્ટ કરવાના.પોસ્ટમાં મળેલા પત્રમાં કામની વાતો ઓછી અને ગામ આખાની પંચાત પાનાના પાના ભરીને વધારે હોય.એમાંના એકખટસવાદિયાએ આ વાતનું શિર્ષક કેવી રીતે સાર્થક કરીને એક ઘરના સભ્યોના જીવ કેમ પડીકે બાંધી દીધા તેની આ વાત છે.(નામ,સ્થળ વગેરેમાં થોડા ફેરફાર સાથે)
         ચંદ્રવદન મારો મિત્ર હતો અને હાર્ડવેર સ્ટોરમાં કામ કરતો હતો.એક દિવસ વેરહાઉસના
મેઇનગેટ પાસે ઊભો હતો.સીમેન્ટ ભરેલી ટ્રક રીવર્સ લેતાં ટ્રકનો ખુણો ચંદ્રવદનની પાંસળી સાથે અથડાયો તેનો ધક્કો લાગતાં ચંદ્રવદન પડી ગયો.મેનેજરને ખબર પડી તેણે ટ્રક ડ્રાઇવરની ધુળ કાઢી નાખી.ચંદ્રવદનને ફેમિલી ડોકટર પાસે મોકલાવ્યો.તેનું કહેવું થયું કે,ખાસ તો કંઇનથી પણ તોય એક વખત એક્સ-રે કરાવી લેવું સારૂં.ત્યારે એક્સ-રે ફકત સરકારી હોસ્પિટલમાં જ થતાં એટલે ચંદ્રવદનને
ત્યાં મોકલાવ્યો.રીપોર્ટ નોર્મલ આવ્યો.વાત ગામમાં ફેલાઇ ગઇ અને ખટસવાદિયાઓએ મીઠું મરચું ભભરાવીને આ વાત કાગળમાં લખી.
          એકે તો હદ કરી લખ્યું કે,ચંદ્રવદન ટ્રકનીચે આવી ગયો છે.તેને હોસ્પિટલમાં દાખલ કર્યો છે.આવા દારૂણ સમાચાર સાંભળીને માવિત્રોના માથે આભ તૂટી પડયું.એકનું એક સંતાન અને તે પણ હોસ્પિટલમાં કોણ જાણે કેટલું વાગ્યું હશે.તેને કેટલી તકલીફ થતી હશે.ચંદ્રવદને ફોન કરીને માવિત્રોને હકિકત જણાવી પણ તેમને તો એમ જ થતું હતું કે,અમને ફીકર ન થાય માટે સધિયારો આપવા માટે તે આમ બોલે છે.
      ત્યારે હું એક બ્રાંચમાં હતો અને બે દિવસમાં ઇન્ડિયા જવાનો છું, એવી ખબર ચંદ્રવદનને મળી એટલે મારા જવાના દિવસની આગલી રાતે મને મળવા આવ્યો. ત્યારે હું ચ્હા પીતો હતો તે મુકી તેના માટે પણ લઇ આવ્યો.ચ્હા પિવાઇ ગઇ એટલે મેં સિગારેટ ઓફર કરી.સિગારેટ પીતા મેં પુછ્યું
“હા ચંદુ કેમ છો?”
“તને હું કેમ લાગું છું”તેણે ઊભા થઇને હાથ ફેલાવીને ફુદડી ફરી કહ્યું
“બરાબર છો પણ એમ કેમ પુછે છે?”મેં તેને પુછ્યું
    તેણે અતઃ થી ઇતી સુધી બધી વાત કરી અને તેના બાબત ગામમાં ફેલાયલી અફવાની વાત કરતાં તેના આંખમાં પાણી છલક્યા એ જોઇ મને ગુસ્સો આવ્યો.
“સાલા..એવા ખટસવાદિયાને તો વીણીને ધીબવા જોઇએ”
“એ બધું જવા દે યાર મારૂં એક કામ કરીશ?”
“એક શું અગ્યાર કરીશ બોલ”
“તો તું ગામમાં પહોંચે ત્યારે સૌથી પહેલાં મારા ઘેર જઇને રૂબરૂ સમાચાર આપી આવીશ?”
“અરે કેવી વાત કરે છે આ તેં ન કહ્યું હોત તોય હું તારે ઘેર  જાત”
“થેન્કયું યાર”
“યાર પણ કહે છે અને થેન્કયું કહી દોસ્તીને ગાળ પણ આપે છે?”
               ગામ જઇને સામાન મુકી બહાર પડેલી સાઇકલ ઉપાડી તો મારી માએ પુછ્યું
“અલ્યા આવતાંવેત ક્યાં ચાલ્યો?”
“આવીને કહું છું”કહી હું રવાનો થયો.
   ચંદ્રવદનના ઘેર તેના માવિત્રો બેઠા હતાં તેમને જ્યશ્રી કૃષ્ણ કર્યા.
“ભાઇ તું કોણ છો?અમે તને ઓળખ્યો નહી”
“હું ચંદ્રવદનનો ફ્રેન્ડ છું.આજેક ગલ્ફથી આવ્યો છું. હમણાં જ ઘેર સામાન મુકીને સીધો તમારી પાસે આવ્યો છું.ચંદ્રવદનને હું કાલે જ મળ્યો છું તે તદન સાજો નરવો છે એ જ કહેવા આવ્યો છું”
“ભગવાન તને સુખી રાખે તેં તો અમારા મનનો ભાર ઓછો કરી નાખ્યો.આટલા દિવસ અમે કેવી વિટંબણામાં વિતાવ્યા છે એતો કાં તો રામ જાણે છે અથવા અમારૂં મન જાણે છે.”કહી ચંદ્રવદનના બાપુજીના આંખમાંથી ખુશીના આંસુ સરી પડયા.
“ભલે કાકા રજા આપો”
“અરે દીકરા એમ જ ન જવાય”મને પાણી આપતા ચંદ્ર્વદનના મમ્મી બોલ્યા.
“અત્યારે કોઇને કશું કહ્યા વગર આવ્યો છું.ફરી ક્યારેક આવીશ”કહી મેં સાઇકલ ઉપાડી.
 
નોંધઃકચ્છીમાં એક કહેવત છે”પખમંજા કાગડો=વાતનું વતેસર અથવા રજનું ગજ

ગઝલનું છંદશાસ્ત્ર

ગઝલનું છંદશાસ્ત્ર

        પ્રયત્ન સાહિત્ય પરિવાર-મસ્ક્તના મુશાયરામાં પ્રથમ વખત મારી એક રચના વાંચી.હું શાયર કે કવિ તો હતો નહિ,કોઇ સારી તરજ શબ્દો કે વિષય મળે ત્યારે થતી રચનાઓમાંની એ એક હતી.મુશાયરા બાદ કવિશ્રી હેમન્ત કારિયા”બુધ્ધુ” તથા કવિશ્રી કીર્તિ ગણાત્રા”દુશ્મન”ને મારી ડાયરી જોઇને કહ્યું આ તું શું લખે છે? શે’ર લખ ગઝલ લખ મેં મારૂં એ બાબત અજ્ઞાન દર્શાવ્યું તો તેમણે મને ગઝલના નામ,બંધારણ,માત્રાઓ,રદિફ અને કાફિયા વિષે સમજણ પાડી અને તેમણે જણાવેલ ગઝલના પ્રકારો નીચે મુજબ છે.એક વાત પહેલાથી જ જણાવી દઉ કે,હું કોઇ વિશેષજ્ઞ કે વિવેચક નથી આ તો મારી પાસે સંગ્રહ્સ્થ થયેલ જ રજુ કરૂં છું.

 (૦૧)મદીદ બહરઃ-માત્રાઓ ૨૪

                     રૂકનઃ-ફાઅલાતુન ફાઇલુન (બે આવરતન)

                નિશાનઃ-ગાલગાગા ગાલગા=૧૨ માત્રાઓX૨

(૦૨)બસીત બહરઃ-માત્રાઓ ૨૪

                     રૂકનઃ-મુસતફઅલુન-ફાઇલુન (બે આવરતન)

                નિશાનઃ-ગાગાલગા ગાલગા=૧૨ માત્રાઓX૨

(૦૩)વાફિર બહરઃ-૨૮ માત્રાઓ

                   રૂકનઃ-મુફાઇલતુન (ચાર આવરતન)

                નિશાનઃ-લગાલલગા=૭ માત્રાઓX૪

(૦૪)કામિલ બહરઃ-૨૮ માત્રાઓ

                      રૂકનઃ-મુતફાઇલુન (ચાર આવરતન)

                   નિશાનઃ-લલગાલગા=૭ માત્રાઓX૪

(૦૫)હઝજ બહરઃ-૨૮ માત્રાઓ

                     રૂકનઃ-મફાઇલુન (ચાર આવરતન)

                  નિશાનઃ-લગાગાગા=૭ માત્રાઓX૪

(૦૬)રજઝ બહરઃ-૨૮ માત્રાઓ

                   રૂકનઃ-મુસતફઇલુન (ચાર આવરતન)

               નિશાનઃ-ગાગાલગા=૭ માત્રાઓX૪

(૦૭)રમલ બહરઃ-૨૮ માત્રાઓ

                    રૂકનઃ-ફાઇલાતુન (ચાર આવરતન)

                નિશાનઃ-ગાલગાગા=૭ માત્રાઓX૪

(૦૮)મુક્તઝ બહરઃ-૨૮ માત્રાઓ

                      રૂકનઃ-મફઊંલાત-મુસતફઇલુન (બે આવરતન)

                  નિશાનઃ-ગાગાગાલ ગાગાલગા=૧૪ માત્રાઓX૨

(૦૯)મનસરિહ બહરઃ-૨૮ માત્રાઓ

                          રૂકનઃ-મુસતફઇલુન-મફઉલાતુ (બે આવરતન)

                      નિશાનઃ-ગાગાલગા ગાગાગાલ=૧૪ માત્રાઓX૨

(૧૦)મુજતસ બહરઃ-૨૪ માત્રાઓ

                       રૂકનઃ-મુસતફઅલુન-ફાઇલાતુન (બે આવરતન)

                   નિશાનઃ-ગાગાલગા ગાલગા=૧૨ માત્રાઓX૨

(૧૧)મુઝારિઅ બહરઃ-૨૮ માત્રાઓ

                       રૂકનઃ-મફાઇલુન-ફઅલાતુન (બે આવરતન)

                    નિશાનઃ-લગાગાગા ગાલગાગા=૧૪ માત્રાઓX૨

(૧૨)મુતકારિબ બહરઃ-૨૦ માત્રાઓ

                          રૂકનઃ-ફઉલન (ચાર આવરતન)

                      નિશાનઃ-લગાગા=૫ માત્રાઓX૪

(૧૩)સરીઅ બહરઃ-૧૮ માત્રાઓ (મુસહસ)

                   રૂકનઃ-મુફતઇલુન-મુફતઇલુન-ફાઇલુન

              નિશાનઃ-ગાલલગા ગાલગાગા ગાલગા

(૧૪)ખરીફ બહરઃ-૨૧ માત્રાઓ (મુસહસ)

                   રૂકનઃ-ફાઇલાતુન-મુસતફઅલુન-ફાઇલાતુન

             નિશાનઃ-ગાલગાગા ગાલગાગા ગાલગાગા

(૧૫)કરીબ બહરઃ-૨૧ માત્રાઓ(મુસહસ)

                  રૂકનઃ-મફાઇલુન-મુફાઇલુન-ફાઇલાતુન

              નિશાનઃ-લગાગાગા લગાગાગા ગાલગાગા

(૧૬)જદીદ બહરઃ-૨૧ માત્રાઓ(મુસહસ)

                   રૂકનઃ-ફાઅલાતુન-ફાઅલાતુન-મુસતફઇલુન

              નિશાનઃ-ગાલગાગા ગાલગાગા ગાગાલગા

(૧૭)મુતદારિક બહરઃ-૨૦ માત્રાઓ(ચાર આવરતન)

                        રૂકનઃ-ફાઇલન

                  નિશાનઃ-ગાલગા=૫ માત્રાઓX૪

(૧૮)મુશાકિલ બહરઃ-૨૧ માત્રાઓ(મુસદસ)

                        રૂકનઃ-ફાઅલાતુન-મુફાઇલુન-મુફાઇલુન

                   નિશાનઃ-ગાલગાગા લગાગાગા લગાગાગા

રૂકન=આવરતનના નામ

નિશાન=ક્યાં લઘુ અને ક્યાં ગુરૂની સમજણ

મુસદસ=એક જ આવરતન

વિષેશ નોંધઃ-બે લઘુ માત્રાઓ(લ)=એક ગુરૂ માત્રા(ગા)ગણાય.એક

        મેં ક્યારે ગઝલના નામોના અર્થ જાણવાની કે તેમના બંધારણના નામ જાણવાની ક્યારે કોશિશ કરી ન્હોતી એ કામ મારા અંતરંગ કવિ મિત્રશ્રી બકુલ સુગંધિયાએ કેટલાક પ્રકારના નામ જાણવાનો પ્ર્યાસ કર્યો છે.તેમની સ્વરચિત રચનાઓની પ્રકાશિત કરેલ પુસ્તક “હરણની ચાલ એટલે ગઝલ”માં ગઝલ રચના સંદર્ભે પ્રસ્તુત કરેલ વિવેચન સમજ્વામાં સહેલું પડશે તેથી તેમના જ શબ્દોમાં રજુ કરવાની રજા લઉ છું.           જ્યારે પણ હ્રદયનો ભાવ છંદ લય સાથે વહેવા લાગે ત્યારે ગઝલનું સર્જન ખુબ જ આસાન બને છે,કારણ સર્જન પ્રક્રિયાનું સંપુર્ણ ધ્યાન ભાવ તરફ હોય છે.લય સાથે છંદનું બંધારણ આપોઆપ બંધાતુ જાય છે.આ સમયે,શબ્દનું ગુરૂ-લઘુનું વજન અને પ્રાસ-અનુ થપ્રાસ,ભાવ ઉપર હાવી થઇ જતાં નથી,આપોઆપ ગુંથાવા લાગે છે.છેલ્લે ફકત ગઝલ મઠારવાની રહે છે.ગઝલ છંદશાસ્ત્રનો આધાર અરબી વ્યાકરણ છે એ વાત જ્ઞાત થયા બાદ,મસ્ક્તમાં રહેતો હોવાથી,આરબ મિત્રોની મદદથી,છંદોના નામોના અદભુત અર્થ જાણ્યા ત્યારે એનું ગુજરાતી સંસ્કરણ કરવાની લાલચ રોકી શક્યો નહિ.  ગઝલ શબ્દનો જ એક અર્થ થાય છે-લયબધ્ધ ચાલ,હરણની ચાલ.જેમાં હરણની ચાલ જેવી લયબધ્ધતા છે એ ગઝલ.અહીં કેટ્લા અરબી છંદનું ગુજરાતી નામકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ એ પહેલા એક વાતનો ખુલાસો કરી દઉ કે ફકત છંદના અરબી નામનો ગુજરાતી અર્થ જણાવવાનો જ આશય છે.તે સિવાય છંદશાસ્ત્રની સમજ બાબત ચર્ચા કરવાનો કોઇ જ ઇરદો નથી. જેમ દીપક રાગ ગાવાથી શરીરમાં જલનનો અનુભવ થઇ શકે એવી જ રીતે “કૈવલ્ય” છંદ પર આધારિત ગઝલ સંપુર્ણતાનિ અનુભૂતિ કરવી શકે કે “મેઘનાદ” પર આધારિત ગઝલ વાદળની ગડગડાહટ કે ઝરમર વરસાદની અનુભૂતિ કરાવી શકે.સારાંશ એજ કે,છંદનું નામકરણ ખૂબજ ચીવટથી કરવામાં આવ્યું છે.છંદનું નામકરણ તેના ગુણધર્મ મુજબ પણ થયું હોય!

ગુજરાતી સંસ્કરણ

કૈવલ્યઃ મુતકારિબ(મુળ ફારસી/ઉર્દુ નામ)

વજનઃ  લગાગા….૪

શેરઃ      મુબારક હો સબકો સમા યે સુહાના

            મૈ ખુશ હું મેરે આંસુઓ પે ન જાના….ફિલ્મઃ મિલન

            રસમ અહીંનિ જુદી નિયમ સાવ નોખાં

            અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા…..મનોજ ખંડેરીયા

           મને છોકરી એક રસ્તે મળી’તી

           ન થઇ કંઇ પણ વાતો પણ દિલને ગમી’તી….

ઋજુઃ    મુતદારિક(મુળ આરબી/ઉર્દુ નાંમ)

વજનઃ   ગાલગા…૪

શેરઃ      એ વતન એ વતન તુજકો મેરી કસમ….ફિલ્મી

             દોબદન પ્યારકી આગમેં જલ ગયે…….ફિલ્મી

            આમને સામને બૈઠકર બાત હો

             ઔર વો ભી અમાવાસ કી રાત હો

 

મેઘનાદઃ હઝજ (મુખ્ ફારસી/ઉર્દુ નામ)

વજનઃ     લગાગાગા-૪

શેરઃ         સુહાની ચાંદની રાતે હમેં સોને નહીં દેતી…..ફિલ્મઃમુક્તિ

               ન આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે….કૈલાસ

               બહારોં ફુલ બરસાઓ મેરા મહેબુબ આયા હૈ…ફિલ્મઃસુરજ

               તમારી યાદમાં અવસર બનાવીશું અમે ઉત્સવ

               હશે દિલમાં જખમ તોયે મનાવીશું અમે ઉત્સવ

આરતઃ  રઝજ(મુળ ફારસી/ઉર્દુ નામ)

વજનઃ  ગાગાલગા-૪

શેરઃ     ભૂલો ભલે બીજું બધું મા બાપ્ને ભૂલશો નહી…

           પી જાવ તો નુકસાન છે પીઓ નહીં ચર્ચાય છે,

          જો આસુમોની થઇ ગઝલ ઘરઘર પછી વંચાય છે.

કૃદંતઃ    કમિલ(મુળ ફારસી/ઉર્દુ નામ)

વજનઃ   લલગાલગા-૪

             દિવસો જુદાઇના જાય છે,એજશે જરૂર મિલન સુધી;

             મને હાથ ઝાલી ને લઇ જશે હવે શત્રુઓજ સ્વજન સુધી..ગની દહીંવાલા

ઇલ્મઃ   રમલ(મૂળ ફારસી/ઉર્દુ નામ)

વજનઃ  ગાલગાગા-૪

શેરઃ     માંડવીમાં તારી સાથે ચાર પગલા ચાલવા છે,

           પ્રેમનું સરનામું લઇ ચાર પગલા ચાલવા છે.

            આ છંદ થોડા ફેરફાર સાથે વધુ ખેડાયો છે.

ઉદાહરણરૂપ

વજનઃ  ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

શેરઃ     આપકી નજરોંને સમજા પ્યાર કે કબીલ મુઝે…ફિલ્મઃઅનપઢ

            હોંસ વાલોંકો ખબર કયા બેખુદી ક્યા ચીજ હૈં…ફિલ્મઃસરફરોશ

વજનઃ  ગાલગાગા ગાલગાગા ગાલગા

              દિલકે અરમા આંસુઓ મેં બહે ગયે….ફિલ્મઃનિકાહ

             ઋનના બંધન બધા નિર્મળ હતા,

           કોઇ બંધાયું નહીં નિર્બળ હતા.

પુરકઃ   વફિર્(મૂળ ફરસી/ઉર્દુ નામ)

વજનઃ  લગાલલગા-૪

શેરઃ      આ છંદ પર આધરિત પ્રચલિત શેર મારા ધ્યાનમાં આવ્યો નથી.

સંગતઃ  મુક્ત્ઝિબ(મૂળ ફારસી/ઉર્દુ નામ)

વજનઃ ગાગાગાલ-૪

શેરઃ    આ છંદ પર આધરિત પ્રચલિત શેર મારા ધ્યાનમાં આવ્યો નથી.

 

વિશેષ નોંધઃ-અરબી ભાષામાં હરણ ને “ગઝાલ” કહેવાય છે તેનું અપભ્રંશ એટલે જ ક્દાચ “ગઝલ”

“પોંખણા વિધિનું રહસ્ય”

પોંખણા વિધિનું રહસ્ય”

    આપણા સમાજમાં કન્યાપક્ષ તરફથી વરરાજાને પોંખવાની એક વિધિ થાય છે એ સર્વ વિદીત વાત છે.એ વિધિ પાછળનો ઉદેશ્ય શું છે એ બહુ ઓછા લોકોને ખબર હશે મને પણ ન્હોતી પણ અમારા ગામમાં પોંખણા બનાવીને સપ્લાય કરનાર એક સાત ચોપડી ભણેલ વ્યક્તિ પાસેથી જાણી ત્યારે મને પણ આશ્ચર્ય થયું કે કેટલી ગુઢતા એમાં છુપાયેલી છે.આ જ વાત તમારી સમક્ષ રજુ કરૂં છું.

      એક રાત્રે અમે બધા મિત્રો વાળુ કર્યા બાદ રોજ્ના નિયમ મુજબ તળાવની પાળે ભેગા થયા કાનજી એ કહ્યું આવતા મહિનાની અજવાળી અષ્ટમીના મારા મામાની દિકરીના લગ્ન છે.ખેતશીએ કહ્યું તો ત્યારે પોખણાની જરૂર તો પડશે.શિવજીથી રહેવાયું નહિ તેણે કહ્યું આ પોખણા શા માટે વપરાય છે એ તો ખબર છે.આ વિધિ શા માટે કરવામાં આવેછે?શું પોખણા વગર વરરાજાનો સત્કાર ન થાય્?તો ખેતસી હસ્યો.આ જોઇ ગોરધન મારાજથી ન રહેવાયું તેણે કહ્યું તું હસે છે મતલબ તને ખબર છે.ખેતસીએ કહ્યું હા મેં એક દિવસ પોખણં બનાવતા મારા બાપુજીને પુછેલું તેમણે જ મને આ વાત કરેલી.પછી બધા તરફ એક નજર કરી કહું તો સાંભળો મને જેટલું યાદ છે તે કહુ છું.

         પોખણાથી કન્યાની મા વરરાજાને સમજાવે છે કે દિકરા આમાં પડવા જેવું નથી એ કરતાં હજુ પણ સમય છે પાછો વળીજા.પોખણામાં સૌથી પહેલાં ધુસરી બતાવીને કહેછે,દિકરા લગ્ન કરીશ તો ઘરસંસારની ધુસરી તારી કાંધે પડશે અને બળદિયા જેમ જોતરાવું પડશે અને સંસારના સ્ત્રી અને પુરૂષ બે પૈડા છે સાથે અને સરખા પૈડા ચાલશે તો સંસારની સફર સુખદ હશે નહિ તો રઘસિયા ગાડાનો ભાર વેંધારવાનો વારો આવશે.લગ્નસંસાર એક ખેતર જેવું છે એનું ખેડાણ બરોબર થશે તો વાવણી લાયક થશે અને તેમાં પાક થશે નહિતર ઉજ્જડ થઇ જશે અને દુઃખના બાવડિયાના જિન્દગી ભર કાંટા ભોંકાશે અને જીવતર વસમું થઇ જશે માટે હજુ પણ સમય હાથમાં છે માટે દિકરા સમજીને પાછો વળી જા.

          પછી ચકલીઓ બતાવીને કહે છે પાક થશે તો વૈયા(પાક ચણી જનાર પક્ષી)ઉડાડવા પડશે અને તો પાક સલામત રહેશે નહિતર લેભાગુઓ માલ ખાઇ જશે અને તારા હાથમાં કંઇ નહિ આવે અને રાતની ઊંઘ હરામ થઇ જશે અને બગાસાના વૈયા ઉડાડ્યા કરજે રાતભર માટે હજુ પણ સમય હાથમાં છે માટે દિકરા સમજીને પાછો વળી જા.

                પછી સાંબેલું બતાવીને કહે છે,પાક બરોબર થશે તો દાણા છડીને છોતરાં કાઢવા પડશે એટલે જીવનમાં આવનાર આંટીઘુંટીના જાળા સાફ કરીશ તો દાણા હાથ લાગશે નહિતર માલ લેભાગુ લઇ જશે અને તારા હાથમાં છોતરાં જ આવશે તો તું તારી બૈરીને ખવડાવીશ શું અને જો એને પોસી નહિ શકે તો તારી ઇજ્જ્ત શું રહેશે માટે હજુ પણ સમય હાથમાં છે માટે દિકરા સમજીને પાછો વળી જા. 

        પછી રવાઇ(વલોણું) બતાવીને કહે છે સ્ત્રી એ દુધ છે તેમાં વિશ્વાસનું મેડવણ પડશે તો હેત અને સ્નેહની દહી જામશે તેને વલોવવી પડશે તો એમાંથી પ્રેમનું માખણ ઉતરશે અને એ માથી ઘૃત બનશે જેનો દિપક પ્રકટાવીને જીવન ઉજાગર થશે નહિતર ચોતરફ અંધકાર વ્યાપી જશે જીવન દુસ્કર થઇ જશે અને ભવ બઘડ્યાનો અફ્સોસ થશે માટે હજુ પણ સમય હાથમાં છે માટે દિકરા સમજીને પાછો વળી જા.

    ત્રાક બતાવીને કહે છે લગ્ન થયા બાદ તું અને તારી ઘરવાળી ચરખાના બે પૈડા છો જો તાલમેલ સાધીને ફરસો તો પ્રેમનો સુતર કંતાશે અને એના બનેલા કાપડથી તમારી લાજ ઢંકાશે નહિતર એ જ બનેલા સુતરનો ગાળિયો ગળામાં ભેરવાઇ જશે અને મરવા સિવાય કોઇ રસ્તો નહિ બચે માટે દિકરા હજુ પણ સમય હાથમાં છે માટે સમજીને પાછો વળી જા.

     પછી ઝરોર(દીવા ઉપર ઢાંકેલ ચારણી)બતાડીને કહે છે કે લગ્ન એ આ ઝરોર જેમ ઢાંકેલી આગ છે એટલે હાલતા ચાલતા હરપળ સાંચવવું પડશે નહિ તો ઘરસંસાર સળગતા વાર નહિ લાગે માટે હજુ પણ સમય હાથમાં છે માટે દિકરા સમજીને પાછો વળી જા.

            છેલ્લે વરરાજાના હાથના અંગુઠાથી મોજડીની ચાંચ સુધી ૧૧ આંટા દઇ કહે છે કે તને આટલું સમજાવ્યા છતાં પણ તું લગ્નની આંટીઘુંટીમાં પડવા તૈયાર છો?પછી નાક પકડીને કહેછે તું તો નકટો છો પછી નાડાછડી થી દોરવીને માંડવામાં લાવતાં કહે છે હાલ ધણખુંટ તને લગ્નના ખીલે બાંધી દેવા તને મારી દિકરી સાથે પરણાવી દઉ.કહી બધા સામે જોઇ ખેતસીએ કહ્યું હવે સમજ્યા?

ભુલાવા લાગેલા આપણા છદશાસ્ત્ર તરફ એક અંગુલિનિર્દેશ.

ભુલાવા લાગેલા આપણા છદશાસ્ત્ર તરફ એક અંગુલિનિર્દેશ.
 
     આજ એ ફોર એપલનો જમાનો છે,દિવસા દિવસ ગુજરાતીનો એકડો નીકળતો જાય છે આજે એક વત્તા એક માટે પણ કેલક્યુલેટર વાપરનારા જુવાનોની એક જમાત ઊભી છે.એક જમાનો હતો જ્યારે એકડે એક થી ચાલીસ સુધી અને પા થી ઊઠા સુધી મોપાઠ શિખવાડવામાં આવતા જેથી સામાન્ય હિસાબ મોઢે કરી શકાતા.એ જમાનામાં આપણા મોટા ગજાના સાહિત્યકારોની અમરકૃતિઓ કવિતા તરિકે પાઠ્યપુસ્તકોમાં ચાલતી જેમાં વપરાયેલા છેંદોનું જ્ઞાન વર્ગ શિક્ષકોને રહેતું.પહેલાં કવિતા સ્વયં ગાતા અને ભાવર્થ સમજાવતા ત્યાર બાદ વિદ્યાર્થિ પાસેથી ગવાડાવી ગાતા શિખડાવતા.આજે ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં એવું કંઇ દેખાય છે?
       આજે કેટલાને શિખરિણી,અનુષ્ટુપ,વસંતતિલકા,મંદાક્રાંતા,માલિની,હરિણી,ચોપાઇ જેવા છંદ યાદ હશે એ હું નથી જાણતો પણ કેટલાક ઉદાહરણોથી અંગુલિનિર્દેશ કરવાનો પ્રયાસ માત્ર કરૂ છું.મારા આ લેખમાં ઘણા એવા કાવ્ય આવશે જે પ્રચલિત તો હશે પણ એ ક્યા છંદમાં લખાયલા છે એ લોકો નહિ જાણતા હોય.ગંધર્વ પુષ્પદંતે મદાંધ થઇને ભૂલથી શિવ નિર્માલ્ય(બિલીપત્ર)પર પગ મુકી દિધો ત્યારે શાપિત પુષ્પદંતે ભગવાન શિવને રીજવવા જે કાવ્યનું સર્જન કર્યુ તેને શિવ મહિમ્ન સ્તોત્ર કહેવાય છે.જેમાં તેણે શરૂઆતના શ્લોકથી ૨૯માં સુધી ના શ્લોક શિખરિણી છંદમાં રચેલ છે,શ્લોક ૩૦તથા ૩૧ હરિણી છંદમાં રચેલ છે.શ્લોક ૩૨ થી ૩૪ તથા ૩૭,૩૮,૪૩ માલિની છંદમાં રચેલ છે.શ્લોક ૩૫,૩૬,૩૯થી૪૧ અનુષ્ટુપ છંદમાં રચેલ છે.જ્યારે શ્લોક ૪૨ વસંતતિલકામાં રચેલ છે.શિવની આરાધના તરિકે નહિ પણ છંદના રસાસ્વાદમાણવા માટે તો જરૂર વાંચવા લાયક છે.
      આપણા સદીઓ પુરાણા વેદ,પુરાણ તથા ઉપનિષદના ૮૫ થી ૯૦ ટકાના શ્લોકો અનુષ્ટુપ છંદમાં રચાયેલા છે.જરા ગીતાના બીજા અધ્યાયના ૨૩મા,૪૭મા અને ૬૯મા પ્રચલિત શ્લોકોને યાદ કરો
                  (૨૩)”નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ
                          ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ”
                 (૪૭)”કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન
                          મા કર્મફલહેતુર્ભૂર્મા તે સઙ્ગોસ્ત્વકર્મણિ”
                 (૬૯)”યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી
                          યસ્યાં જાગર્તિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ     
આ બધી રચનાઓ અનુષ્ટુપ છંદ છે.એવા જ એક પ્રચલિત છંદ યાદ કરો શિવ મહિમ્ન સ્તોત્રનો ૩૨મો શ્લોક
                     “અસિતગિરિસમં સ્યાત્કજ્જલં સિંધુપાત્રે
                       સુરતરુવરશાખા લેખની પત્રમુર્વી
                       લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં
                       તદપિ તવ ગુણાનામીશ પારં ન યાતિ” આ માલિની  છંદ રચના છે.
કવિશ્રી કલાપિની એક રચનાની બે લીટીઓ
                 “રે પંખીડા!સુખથી ચણજો ગીત વા કાંઇ ગાજો
                   શાને આવાં,મુજથી ડરીને ખેલ છોડી ઉડો છૉ?” આ મંદાક્રાન્તા છંદ રચના છે.
કવિશ્રી નર્મદાશંકરની એક રચનાની ચાર લીટીઓ 
                 “ભુરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમસે પહાડ સરખો
                   નદી વચ્ચે ઉભો નિરભયપણે એક સરખો
                   દીસ્યો હાર્યો જોધ્ધો,હરિતણું હ્રદે ધ્યાન ધરતો
                   સવારે એકાંતે કબીરવડ એ શોક હરતો” આ શિખરિણી છંદ રચના છે
તેમની જ એક પ્રખ્યાત રચનાની બે લીટીઓ
                             “સહુ ચાલો જીતવા જંગ,બ્યૂગલો વાગે,
                              યા હોમ કરીને પડો ,ફતેહ છે આગે.” આ લાવણી છંદની રચના છે.
કવિશ્રી નરસિંહ મહેતાની કેટલીક રચનાઓ
         (૧)”જે ગમે જગતગુરુ દેવ જગદીશને,તે તણો ખરખરો ફોક કરવો
              આપણો ચિંતવ્યો અર્થ કાંઇ નવ સરે,ઉગરે એક ઉદ્વેગ ધરવો”
      (૨)”રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી સાધુ પુરૂષને સુઇ ન રહેવું
               નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ,એક તું એક તું એમ કહેવું” આ પ્રભાત છંદ રચનાઓ
 છે.(જેના લીધે જ કદાચ પ્રભાતિયા કહેવાતા હશે.)
              “પછી શામળીયો બોલીઆ તને સાંભરે રે
                હજી ન્હાનાપણાની પેર મ્હને કેમ વીસરે રે” આ સામગ્રી છંદની રચના છે
કવિશ્રી અખાભગતની રચનામાંની ચાર પ્રખ્યાત લીટીઓ
                “ત્રિલક કરતાં ત્રેપન વહ્યાં,જપમાળાનાં નાકાં ગયાં
                 તીરથ ફરી ફરી થાક્યા ચર્ણ,તોય ન પોતા હરિને શર્ણ
                 એક મૂરખને એવી ટેવ,પત્થર એડલા પૂજે દેવ
                 પાણીને દેખી કરે સ્નાન,તુલશી દેખી તોડે પાન” આ અખાભગતના છપ્પા છે.
કવિશ્રી શામળદાસની એક રચના રાવણ અને અંગદ વચ્ચે થયેલ સંવાદની ચાર લીટીઓ
               “ત્ર્યંબક જ્યાં તોડિયો માનતજમોડિયો,છોડિયો ત્યાંથનેધર્મ ધાર્યો
                 દુશ્મન જે દાખમાં રાખીઓ કાંખમાં,ખલક એક પાંખમાં હાડ હાર્યો
                 કોટિ રાક્ષસ હણ્યા ભય તેના નવ ગણ્યા,વેદભણીઆહવેતારો વારો
                 મારવો રંકને લુંટવી લંકને,પાપ ઓસરે રામ મ્હારો.” આ ઝુલણા છંદની રચના છે.
બીજી રચના રાવણે અંગદને આપેલ જવાબની
                “રાંક જાત તે રત્ન શું ઓળખે,આખર ચૈતન્ય ચાકરનો;
                  ગરીબતણે ઘેર પેટ ભરે તે,ઠાઠ શું જાણે ઠાકરનો.
                  મેરૂતણો મહિમા નવ દીઠો,કરે વખાણ તે કાંકરનો;
                  ખાખરની ખીલોડી અંગદ,સ્વાદ શું જાણે સાકરનો” આ સવૈયો છંદની રચના છે
કવિશ્રી બાળાશંકર ઉલ્લાસરામની એક પ્રખ્યાત રચનાની બે લીટીઓ
                 “ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે,
                  ગણ્યું જે પ્યારૂં પ્યારાએ અતિ પ્યારૂં ગણી લેજે. આ ગઝલ છંદની રચના છે.
અને છેલ્લે સંતકવિ તુલસીદાસની બે લીટીઓ
                   “રઘુકુલ રીત સદા ચલી આઈ
                    પ્રાણ જાય અરૂ બચન ન જાઇ” આ ચોપાઇ છંદ રચના છે.
                 ઉપર આપેલ ઉદાહરણો મારી પાસે એક અતિજર્જરિત સાહિત્ય રત્ન નામનું પુસ્તક છે તેના આધારે આપેલ છે.જેની ૧૨મી આવૃતિ ૧૯૨૯માં ઇશ્વરલાલ પ્રાણલાલ ખાનસાહેબ, બી.એ.(હેડમાસ્તર,સાર્વજનિક હાઇસ્કૂલ સુરત દ્વારા ધી ડાયમંડ જ્યુબિલિ પ્રિન્ટીગ પ્રેસમાં પારીખ દેવીદાસ છગનલાલે છાપી પ્રકાશિત કરેલ છે.ત્યારે તેની કિંમત રૂ.૧-૮-૦ હતી.(એટલે રૂ.૧.૫૦પૈસા)  મને કોઇ છંદના બંધારણ વિષે ન પુછતાં કારણ કે,તેમાં એની છણાવટ કરવામાં આવેલ નથી અને હું કોઇ મોટો સાહિત્યકાર નથી જે તમને મારી રીતે સમજાવી શકું.
-અસ્તુ

“ધી”(કચ્છી)*

ધી“(કચ્છી)*

(રાગઃ ઠાકર મંધરમેં હુઇ થારી… …)

 

મેણે વૈશાખજી રાત ઉજારી,

ભેણ નોમ શનિવારજી રાત ઉજારી;

પરભુડેજે ઘરે અજ વગી થારી

 

હીનાજી કુખમાંથી આવઇ ધી;

હેત ને આનંધજો વરસ્યો મીં… … …પરભુડે

 

જયા ને મીતાજા મન હરખાય;

આશા ને પીયુસજો આનંધ માયપરભુડે

 

મુનરા ગામમેં વ્યા સમાચાર;

ચોડો ડીં વેલો થ્યો ચમતકાર… … ….પરભુડે

 

સગેને સમધીજી લમી કતાર;

મણીજે નેણમેં આનંધ અપાર .. … …પરભુડે

 

રાધાનિવાસમેં આનંધ આનંધ;

મમઇજી મેર આયો સારો પરસંગપરભુડે

 

રતડીએવારી તું રક્ષા કરીજ;

માવડી ને ધી કે સુખ ડીજ. … … … ..પરભુડે

 

૦૬/૦૫/૨૦૦૬

 

*પોતરીજે જનમ ટાણે

 

“હું ગમું છું?”

હું ગમું છું?”

 

હયાતીથી જગત છે કે,જગતથી હયાતી છે;

જીવન મુજને રમાડે છે કે,જીવનથી હું રમું છું.

 

ધરા પોતે ભમે છે કે,કોએને ભમાવે છે;

જરા વિજ્ઞાનને પુછો,તો કહેશે હું ભમું છું.

 

જગતના તાતને થાળી,બતાવીને જમાડું છું;

વગાડી ઘંટડી થાળી,મહીંથી હું જમું છું.

 

નમન છે તન તણું કે,નમન મનડું કરાવે છે;

હવેતો ઇશને પુછું,તને સાથી નમું છું?

 

ગમા કે અણગમાની વાત ના કરશોધુફારીને;

નથી લલના મળી કો‘,પુછનારી હું ગમું છું?

 

૩૦/૦૩/૨૦૦૭

“એકાંતમાં”

એકાંતમાં

 

જાતને મળવું પડે છે,હરઘડી એકાંતમાં;

સામના કરવો પડે,એનો લડી એકાંતમાં.

 

ધાક ધમકી ખૂન યા તો,અપહરણ થાતાં બધા;

માનવી અટવાય જ્યારે,એકલો એકાંતમાં.

 

યાદ કેરી જાળમાંથી,છુટવું મુશ્કેલ છે;

ઘેરસે તમને બધી,ભેગી મળી એકાંતમાં.

 

છે અજબ કાનુન એવો,વણલખેલો જગ મહીં;

ઇશ હો કે પ્રેમદા સૌ,કોમળે એકાંતમાં.

 

કલ્પનાના વ્યોમમાં,વિહારના આનંદમાં;

કો ગઝલ સર્જેધુફારી“,વિહરતા એકાંતમાં.

 

૩૦/૦૩/૨૦૦૭

“કરામત છે”

કરામત છે

 

હતાં અંકુર જ્યાં આવ્યા,કરામત છે કુદરતની;

ના ખિલ્યા ને કરમાયા,કરામત છે કુદરતની.

 

ભુલી જાવા ચાહ્યા ગમને,ડૂબીને મય સમંદરમાં;

વધુ ગમગીન થઇ બેઠા,કરામત છે કુદરતની.

 

વધી અનહદ વ્યથા જ્યારે,નયન ઉભરાઇ ચાલ્યાને;

અહમના બંધથી રોક્યા,કરામત છે કુદરતની.

 

તમારી ચાહ ના પામ્યા, પામ્યા ના કદી તમને;

તમારી યાદમાં જીવ્યા,કરામત છે કુદરતની.

 

અપેક્ષાઓ કરી જેણે,ઉપેક્ષાઓ સદા પામ્યા;

વગર માંગે ઘણા પામ્યા,કરામત છે કુદરતની.

 

સશક્તોને જતાં જોયા,અકાળે જગતથી જાતા;

ઉંમર વેંઢારતા રોગી,કરામત છે કુદરતની.

 

નથી કહેવુંધુફારીને,નથી અફસોસ કરવાનો;

મજેથી જિંદગી માણી,કરામત છે કુદરતની.

 

૩૦/૦૬/૨૦૦૬

 

 

‘સ્પંદન”

સ્પંદન

(રાગઃ ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં….)

 

આવ સખી તું બેસને પાસે વાત કહું હું મનની,

દિલમાં ઉદભવતા સ્પંદનની… … … …

 

દુષિત થયેલી આંખો મારી ચાર દિશામાં ફરતી,

શુન્ય તણાં પાર જવાનો નિષ્ફળ પ્રયાસ કરતી;

હરએક પળ ઉભરાતી લ્હેરો આછેરા કંપનની,

દિલમાં ઉદભવતા સ્પંદનની… … … …

 

વિચાર કેરા ચક્રવ્યુહમાં મન મારૂં આથડ્તું,

અંત અને આરંભનો તંતુ શોધુ છતાં મળતું;

મુજને છે બસ એક આશા તારા અવલંબનની,

દિલમાં ઉદભવતા સ્પંદનની… … … …

 

મારા દિલની વાતો કહેવા શબ્દો ઓછા લાગે,

સ્પર્શ અને આંખો પ્રશ્નનો ઉત્તર દેવા માગે;

ધુફારીની હાલત બસ સમજે તું માનેલા સાજનની,

દિલમાં ઉદભવતા સ્પંદનની… … … …

 

૦૧/૦૫/૨૦૦૬